Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
’કર્મયોગ’ આપણને શીખવાડે છે કે, જીવનમાં કર્મ કરવા અપરિહાર્ય છે, પરંતુ મહત્ત્વપૂર્ણ એ છે કે આપણે કયા ભાવ અને સમજની સાથે કર્મ કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ આ પુસ્તકમાં નિષ્કામ કર્મના સિદ્ધાંત પર ભાર આપે છે, અર્થાત્ ફળની ઇચ્છા કર્યા વગર કર્તવ્યનું પાલન કરવું. તેઓ બતાવે છે કે, સ્વાર્થરહિત કર્મ જ આપણને બંધનમાંથી મુક્ત કરી શકે છે અને આધ્યાત્મિક ઉન્નતિની તરફ લઈ જઈ શકે છે.આ પુસ્તક વિભિન્ન ઉદાહરણો અને દૃષ્ટાંતોના માધ્યમથી કર્મયોગના ગૂઢ રહસ્યોને સરળ ભાષામાં સમજાવે છે. આ આપણને શીખવાડે છે કે, કેવી રીતે આપણે પોતાના દૈનિક જીવનના સાધારણ કાર્યોને પણ યોગમાં પરિવર્તિત કરી શકીએ છીએ, જેનાથી આપણું જીવન વધારે સાર્થક અને ઉદ્દેશ્યપૂર્ણ બની શકે. ’કર્મયોગ’ એ સૌ લોકો માટે એક માર્ગદર્શક છે, જે જીવનમાં સફળતા એન શાંતિ પ્રાપ્ત કરવા ઇચ્છે છે અને કર્મના સાચા સ્વરૂપને સમજવા ઇચ્છે છે. આ આપણને કર્મના માધ્યમથી ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે.