Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
’ધ્યાનયોગ’ સ્વામી વિવેકાનંદના વિભિન્ન વ્યાખ્યાનો અને લેખોમાંથી સંકલિત એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે. આ પુસ્તક ધ્યાનની અવધારણા, એની જરૂરિયાદ અને અભ્યાસની સરળ તેમજ પ્રભાવી વિધિઓ પર પ્રકાશ ફેંકે છે. સ્વામીજી બતાવે છે કે, ધ્યાન માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, બલ્કે મનને એકાગ્ર કરવા અને આંતરિક શક્તિને જાગૃત કરવાની એક વૈજ્ઞાનિક રીત છે.પુસ્તકમાં મનની ચંચળતાને નિયંત્રિત કરવા, એકાગ્રતા વધારવા અને અંતતઃ આત્મ-સાક્ષાત્કારની તરફ આગળ વધવા માટે વ્યાવહારિક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદ યોગ અને વેદાંતના સિદ્ધાંતોના આધાર પર ધ્યાનના મહત્ત્વને સ્પષ્ટ કરે છે અને બતાવે છે કે, કેવી રીતે નિયમિત અભ્યાસથી વ્યક્તિ માનસિક શાંતિ, સ્પષ્ટતા અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે.આ પુસ્તક એ સૌ લોકો માટે એક મૂલ્યવાન સંસાધન છે, જે ધ્યાનના માર્ગ પર ચાલવા ઇચ્છે છે અને પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા ઇચ્છે છે. સ્વામીજીની ઓજસ્વી વાણી અને ગૂઢ જ્ઞાન આ પુસ્તકને એક પ્રેરણાદાયક અને માર્ગદર્શક કૃતિ બનાવે છે.