Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
’જ્ઞાનયોગ’ સ્વામી વિવેકાનંદની એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે, જે જ્ઞાનના માર્ગ પર કેન્દ્રિત છે. આ પુસ્તકમાં, સ્વામીજીએ વેદાંત દર્શનના ગૂઢ સિદ્ધાંતોને સરળ અને સુગમ ભાષામાં પ્રસ્તુત કર્યા છે. તેઓ બતાવે છે કે, સાચું જ્ઞાન આત્માની પ્રકૃતિ અને બ્રહ્માંડની સાથે એના સંબંધને સમજવામાં નિહિત છે.સ્વામીજી તર્ક અને બુદ્ધિના માધ્યમથી આધ્યાત્મિક સત્યની શોધ પર ભાર આપે છે. તેઓ અંધવિશ્વાસો અને કર્મકાંડોથી દૂર રહેવા તથા આત્મ-વિશ્લેષણ અને મનન દ્વારા સત્યને જાણવાનું આહ્વાન કરે છે. પુસ્તકમાં, તેઓ વિભિન્ન દાર્શનિક અવધારણાઓ જેમ કે માયા, બ્રહ્મ અને આત્માની વ્યાખ્યા કરે છે, જેનાથી વાચકોને વાસ્તવિકતાની ઊંડી સમજ પ્રાપ્ત થાય છે.’જ્ઞાનયોગ’ એ લોકો માટે એક માર્ગદર્શિકા છે, જે જીવનના અંતિમ સત્યને જાણવાની ઈચ્છા રાખે છે અને પારંપરિક ધાર્મિક વિશ્વાસોથી પરે જઈને સ્વયં અનુભવ કરવા ઇચ્છે છે. આ પુસ્તક વાચકોને આત્મ-જ્ઞાન તરફ પ્રેરિત કરે છે અને તેમને પોતાની આંતરિક શક્તિ અને ક્ષમતાને ઓળખવામાં મદદ કરે છે. આ પુસ્તક જ્ઞાનના મહત્ત્વ, આધ્યાત્મિક જિજ્ઞાસા અને આત્મ-સાક્ષાત્કારના માર્ગ પર એક શક્તિશાળી અંતદ્દષ્ટિ પ્રદાન કરે છે.