Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
તણાવમુક્તિ સાથે સંબંધિત વધારે સાહિત્ય તમને બજારમાં મળી જશે, પરંતુ તણાવમુક્તિના ઉપાય બતાવતી આ પુસ્તક ઓશોના પ્રવચનો પર આધારિત છે, જેનું મુખ્ય બિન્દુ છે ’ધ્યાન’. ઓશો કહે છે, તમે કેટલાય પ્રશ્ન ઉઠાઓ, બધા પ્રશ્નોનો એક જ ઉત્તર છે ’ધ્યાન’. ધ્યાનવિધિ દ્વારા જ તણાવથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે.સ્વામી આનંદ સત્યાર્થી (પ્રોફેસર સતપાલ પરૂથી, પીએચ.ડી. રેકી ગ્રેન્ડ માસ્ટર) જૂન, ૧૯૭૪માં પૂના આશ્રમમાં આયોજિત પ્રથમ ધ્યાન શિબિર (૧૦ દિવસ)માં ઓશો દ્વારા સંન્યાસમાં દીક્ષિત થયા. ફેબ્રુઆરી, ૧૯૭૧થી જાન્યુઆરી, ૧૯૯૮ સુધી હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલય, હિસારમાં કાર્યરત રહ્યા. ૧૯૭૭થી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લીમાં વિભિન્ન સંસ્થાઓ દ્વારા આયોજિત વિચારગોષ્ઠીમાં ઓશો દેશના પર મુખ્ય વક્તાના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યા. ૧૯૮૪ તેમજ ૧૯૮૫માં રજનીશપુરમ્ (અમેરિકા)માં ગ્રેન્ડમાસ્ટરના પ્રશિક્ષણ બાદ પ્રેરિત થઈને ઓશો પ્રવચનો પર આધારિત ’ધ્યાન ઊર્જા દ્વારા સ્પર્શ ચિકિત્સા’ ગ્રુપ વિકસિત કર્યું.લેખકની અન્ય પુસ્તકો:૧. સરળ ધ્યાનવિધિઓ.૨. સક્રિય ધ્યાનના રહસ્ય.૩. ધ્યાન ઊર્જા દ્વારા સ્પર્શ ચિકિત્સા.