Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
’મેં જોયું કે ઉચ્ચસ્તરીય નોકરશાહોનું જૂથ પોલિસ નેતૃત્વને હાંસિયામાં ધકેલી રહ્યું છે, જો કે રાષ્ટ્ર અને એની પ્રજા માટે નુકશાનકર્તા છે અને આજે એના પરિણામઆપણી બધાની સામે છે. ભારતીય પોલિસની પાસે જનતાનો ભરોસો નથી.’આ સંપૂર્ણ રીતે સંશોધિત અને પરિવર્ધિત સંસ્કરણમાં તમે મેળવશો કે કયા પ્રકારે કિરણ બેદીની પોતાની સેવાના કેટલાક સદસ્યો તથા વિશેષ નોકરશાહોએ મળીને પોલિસ સુધારાઓને વ્યર્થ કરવાનું ઈછ્યું, જેમને ભારતની સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર ક્રિયાન્વિત કરવામાં આવનાર હતા. આ જ લોકોએ પોલિસ કમિશનરના રૂપમાં એમની નિયુક્તિમાં વિઘ્ન નાંખ્યું.આ પ્રકારે વિધ્વંસ જ એ અંતિમચરણ હતું, જેણે એમને આ બંધનોમાંથી બહાર નીકળી જવા માટે વિવશ કરી દીધા. એક લાંબી અને પ્રશંસનીય પારી (કુલ પાંત્રીસ વર્ષ) પછી કિરણ બેદીએ આગળ વધવાનો નિર્ણય લઈ લીધો. એમને લાગ્યું કે હવે તેઓ એવા વ્યક્તિઓની સાથે કામનથી કરી શકતી, જેઓ તંત્રને દાસ બનાવી રહ્યાં હતા. એમણે દૃઢ નિશ્ચય કરી લીધો હતો કે તેઓ આ વિધ્વંસકોના અધિનસ્થ બનીને કાર્ય નહીં કરે. આવા વ્યક્તિ બીજા વ્યક્તિઓને નીચા દેખાડવા, પહેલને કુચળી નાંખવામાં અને મનોબળ તોડવા સિવાય કયું માર્ગદર્શન કે દિશા-નિર્દેશ કરી શકતા હતા? તેઓ આવા અવિશ્વસનીય ઈતિહાસના અંગ બનવા ઈચ્છતી નહતી.જેમકે તેઓ કહે છે - 'મારા આત્મસન્માન, ન્યાયની સહજ શક્તિ, જીવનમાં મૂલ્ય તથા વિશ્વાસે, માર્ગમાં આવનારી અને વૃદ્ધિને રોકવાવાળા વિઘ્નોથી પાર ઉતરવાની પ્રેરણા આપી અને હવે મેં નક્કી કરી લીધું છે કે હું ખુદને મુક્ત કરીને મારા સમયની ખુદ સ્વામિની બનીશ.'રોમાંચ, જીવંતતા અનેપ્રેરણાથી ભરપૂર રોચક ગાથા...