Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
શાકભાજીઓ, ફળ, મસાલા, મેવા ફક્ત આપણા માટે ખાદ્ય પદાર્થ નથી, બલ્કે એમનામાં રહેલાં ગુણ અને એમના ઉપયોગ કમાલના છે. આ આપણા માટે ઔષધિનું પણ કામ કરે છે. એક પ્રકારથી આ વસ્તુઓને ઘરના વૈધ (ડૉક્ટર) માનવામાં આવે છે. ભલે તમે એમને સ્વાસ્થ્ય રક્ષાની દૃષ્ટિથી ખાઓ અથવા સ્વાદ માટે, એ પ્રત્યેક બાબતમાં અવ્વલ છે. ત્યારે જ તો દાદી માના નુસખા હોય કે ઘરેલું સારવાર, આયુર્વેદમાં પણ આજ વસ્તુઓના ઉપયોગથી દવાઓ નિર્મિત કરવામાં આવે છે અને ઘરમાં જ બીમારીઓની સારવાર કરી લેવામાં આવે છે.આ પુસ્તકમાં ફળ, શાકભાજીઓ, મસાલાઓ તથા મેવાઓના ગુણો વિશે ઉપયોગી જાણકારી આપવામાં આવી છે, જેના ઉપયોગથી વાચક પોતાના ખાવાને સુસ્વાદુ તથા રુચિકર બનાવવાની સાથે-સાથે ઘર પર જ પોતાની શારીરિક પરેશાનીઓની સારવાર કરીને પોતાના સ્વાસ્થ્યની દેખભાળ કરી શકે છે.