Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
આચાર્ય ચાણક્ય ખૂબ જ મોટા વિદ્વાન હતા, એમણે જે વાતો કહી, તે કોઈ પણ સમયમાં એટલી જ પ્રાસંગિક હશે, જેટલી એ સમયે હતી. એમની વાતોનો જીવન વ્યવસ્થા સાથે ઊંડો સંબંધ છે અને આ જ ગુણ આચાર્ય ચાણક્યને સૌથી જૂના મેનેજમેન્ટ ગુરૂ બનાવે છે. એમણે જે વાતો કહી, એ જ વાતોને સમયની ચાસણીમાં લપેટીને આજના તથાકથિત મેનેજમેન્ટ ગુરૂ પિ૨સે છે અને આખી દુનિયા એમની વાહવાહ કરે છે. હકીકતમાં, આપણે ડાળીના બદલે મૂળ પર જવું જોઈએ. જ્યારે આપણો પ્રયત્ન એવો હશે તો સ્વાભાવિક રીતે મેનેજમેન્ટ ગુરૂના રૂપમાં આચાર્ય ચાણક્ય ઊભરીને સામે આવશે. એમની બતાવવામાં આવેલી વાતોના આધાર પર આજે પણ કેવી રીતે પોતાના જીવનની યોગ્ય વ્યવસ્થા કરીને એને સફળ બનાવી શકાય છે, એ વાતને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યોછે.