Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
મારા વ્હાલા વાચકમિત્રોને ગ્રીષ્મા પંડ્યાના સાદર વંદનમારી પુસ્તિકાઓ ’અનુભૂતિ, અવિરત, અચાનક, અંતરનો નાદ - સ્વની ખોજ’ આપ સૌને પસંદ આવી છે. જેમાં કાવ્યો, લઘુ વાર્તા, નવલિકા, શાયરી, વગેરેનો સમાવેશ છે. પ્રકાશિત કૃતિઓ : અનુભૂતિ, અવિરત, અચાનક, ’અંતરનો નાદ - સ્વની ખોજ’ જેમાં મારી વાર્તાઓ, કાવ્યો લેખ, વગેરેને પ્રાધાન્ય આપ્યું છે.કાર્યરત : ’સાહિત્ય સંગીતનું વિશ્વ’ ફેસબુકના આંતરરાષ્ટ્રીય ફલક ઉપર મારી રચનાઓ આવતી હોય છે. હાલમાં મૉડરેટર તરીકેની સેવા પણ આપું છું.તુલસી ખૂસરો સાહિત્યના મંચ પર મારી રચનાઓ સાથેનો વિડિયો પ્રકાશિત થઈ ચૂક્યો છે.’નિત્યનીશી’ માં પણ મારી રચનાઓનો સમાવેશ થયો છે.NOGSS ના ગ્રુપ સાથે પણ સંલગ્ન છું.અનુભૂતિ : કાવ્યો, વાર્તાઓ, શાયરીઓનો રસથાળ..અચાનક : આ નવલિકાની મુખ્ય નાયિકાના જીવનમાં અચાનક આવી પડેલી મુસીબતનો સામનો કરવા માટે એણે કેવા કેવા માણસોને સાથે લઈને ક્યારેક કળથી તો ક્યારેક બળથી ઝઝૂમવું પડે છે, તેના વિશેની વાત છે. એક પારિવારિક તેમજ રહસ્ય ઘૂંટાતું જાય એવી વાર્તા છે. નાયકનું ગુમ થવું અને નાયિકાને તેની કેવી રીતે બાતમી મળે છે અને પછી નાયકને છોડાવવામાં કેટલી હદે નાયિકા જાય છે; તે બધું જ મારી આ નવલિકામાં ઉલ્લેખનીય છે. અવિરત : આ લઘુ વાર્તાઓમાં આપણા દરેકના જીવનમાં સ્થપાતાં સંબંધોની મીઠાશનું અવિરત ઝરણું વહ્યા કરે, એવો સ્વભાવ રાખવો જ પડે. મારી દૃષ્ટિએ કે વાર્તાઓ એકબીજા સાથે સ્થપાતાં સંબંધ વિષે છે. સંબંધોને સાચવવા માટે કાળજી કરી બધી મીઠાશ વાવવી પડે છે.અંતરનો નાદ - સ્વની ખોજ : આ કાવ્યસંગ્રહમાં મારા અંતરમાં ઉદ્ભવતા નાદ એટલે કે અવાજને સમય સંજોગો અનુસાર કાવ્યાત્મક શૈલીમાં રજૂ કરેલ છે.મારા આ પુસ્તક આલેખનનો ઉજાસ વિષે....વિશેષતા : મારી રચનાઓમાં કાવ્યો, વાર્તાઓ, ગઝલ, નવલિકાનો સમાવેશ થતો રહ્યો છે, પરંત